Naturopathy Treatment

Naturopathy Treatment
Ayurvedic Treatments

Tuesday, April 28, 2020

નવસારી જિલ્લા માં અન્નમ બ્રહ્મ યોજના ની કામગીરી કાબીલેતારીફ કે સરકારને બદનામ કરવા સાજિસ ...?

નવસારી જિલ્લા માં અન્નમ બ્રમ્હ યોજના માટે સરકાર શ્રી દ્વારા ફાડવામાં આવેલ અનાજ માટે પરિપત્ર અને આપવામાં આવેલ અનાજ માં કાયદેસર કૌણ..?
 સરકારને બદનામ કરવા સાજિસ કે ફકત ગરીબોના મજાક ...? જવાબદાર કૌણ...?
                             નામદાર સુપ્રિમ કોર્ટ રીટ પીટીશન નં. ૧૯૬/૨૦૦૧માં તારીખ ૨૯/૧૦/૨૦૦૨ના આદેશ થી ભુખમરા અને કુપોષણને કારણે થતા મૃત્યુ અટકાવવા માટે રાજ્યની ફરજ જણાવી જરૂરી પગલા લેવા આદેશ આપેલ છે. જે અન્વયે અન્ન , નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા તારીખ ૧૫/૦૧/૨૦૦૯ ના પરિપત્ર મુજબ દરેક મામલતદારશ્રીઓને ૧૦ ક્વિંટલ અનાજ પુરૂ પાડી પાત્રતા ધરાવતી વ્યક્તિ /કુટુંબ ને માસિક ૧૦થી ૧૫ કિલોગ્રામ અનાજ વધુમાં વધુ ૬ માસ માટે વિના મુલ્યે વિતરણ કરવા તેમજ અન્ન સલામતી પુરા પાડવાનુ નક્કી થયેલ છે. સુપ્રિમ કોર્ટના આદેશ અન્વયે ઘરવિહોણા લોકો અને અનાથ બાળકો ને સ્ટ્રીટ ચિલ્ડ્રન સેલ્ટરની વ્યવસ્થા તેમજ બીજી અન્ય તમામ સુવિધાઓ પુરી પાડવાની રહે છે.
અન્નમ બ્રમ્હ યોજના લાભ માટે પાત્રતા :-
જે વ્યક્તિ કે કુટુંબ પાસે કોઈ પણ પ્રકારનુ રેશન કાર્ડ નથી.
અત્યંત ગરીબ/અશક્ત /નિરાધાર વ્યક્તિ
હોસ્પીટલ ના બિછાને પડેલ દર્દી કે જેમને અનાજની જરૂરિયાત છે.
સામાન્ય દેખાવ પરથી યોગ્ય લાગે તેવી જરૂરિયાત વ્યક્તિ/ કામદાર
ઘર વિહોણી એકલી વ્યક્તિ અથવા કુટુંબ (બાળકો સહિત)
ઘર વિહોણા અને અનાથ બાળક એટલે કે સ્ટ્રીટ ચીલ્ડ્રન
ઉપરોક્ત પાત્રતા ધરાવતી વ્યક્તિ / કુટુંબ ની પસંદગી મામલતદારશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની સ્વવિવેક બુદ્ધિ ઉપર કરવાની રહેશે..

Tuesday, April 14, 2020

નવસારી જિલ્લા માહિતી વિભાગ દ્વારા મળેલ માહિતી



                                       

માત્ર જરૂરતમંદ એપીએલ-૧ પરિવારો નિઃશુલ્ક રાશનનો લાભ લે

એવી કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલની અપીલ

નવસારી/મંગળવારઃ- દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે રાજય સરકારે મધ્યમવર્ગીય પરીવારોને પણ રાશન મળી રહે તે માટે સંવેદનશીલ નિર્ણય લઇ એપીએલ-૧ રાશનકાર્ડ ધારક પરીવારોને એપ્રીલ મહિના માટેનું રાશન વિનામૂલ્યે આપવા નિર્ણય લીધો છે. આ નિર્ણયને પરીણામે નવસારી જિલ્લાના હજારો પરીવારો જેમને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ રાશન મળવાપાત્ર નથી તેઓ પણ રાશન મેળવી શકશે. આ યોજના અંતર્ગત એપીએલ-૧ રેશનકાર્ડ ધારક પરીવારને કાર્ડ દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૧ કિલો ચણાદાળ આપવામાં આવશે.

 કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલે આ અંગે જણાવ્યું  હતું કે, રાજય સરકારે મધ્યમવર્ગીય પરીવારો માટે ખૂબજ સંવેદનાસભર નિર્ણય લીધો છે. જિલ્લાના એપીએલ-૧ રાશનકાર્ડ ધારક પરીવારો જેઓ ખરેખરમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તેઓ જ આ યોજનાનો લાભ લે તે ઇચ્છનીય છે. જે મધ્યમવર્ગીય પરીવારો પોતાની રાશનની જરૂરીયાતો આસાનીથી સંતોષી શકે છે તેઓ સ્વૈચ્છિક રીતે દેશહિતમાં આ યોજનાનો લાભ ન ઉઠાવે અને ફક્ત આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા જ પરીવારો જ રાશન મેળવે તે વધુ યોગ્ય છે.

નાયબ મુખ્ય દંડકશ્રી આર.સી.પટેલે જલાલપોર તાલુકાની મુલાકાત લઇ

લોકડાઉનના કપરા સમયમાં નાગરિકોની સ્થિતિથી અવગત થયા

નવસારી/મંગળવારઃ- નવસારી જિલ્લાના નાગરિકો કોરોના વાયરસને માત આપવા માટે લોકડાઉનનું ચુસ્ત પાલન કરી રહ્યા છે ત્યારે જિલ્લામાં નાયબ મુખ્ય દંડકશ્રી આર.સી.પટેલ સામાન્યજન લોકડાઉન દરમિયાન જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમની સ્થિતિથી વાકેફ થઇ તેમને વર્તમાન સ્થિતિનો જોમભેર સામનો કરવા પ્રેરીત કરી રહ્યા છે.

        નાયબ મુખ્ય દંડકશ્રી આર.સી.પટેલે જલાલપોર તાલુકાના મરોલી, દિપલા, ઉભરાટ,બોરસી માછીવાડ, દેલવાડા, ભિનાર, માંગરોળ સહિતના વિવિધ ગામોની  મુલાકાત લઇ લોકડાઉનના કપરા સમયમાં નાગરિકોની સ્થિતિથી અવગત થયા હતા. સાથે તાલુકામાં લોકડાઉનનું અસરકારક પાલન કરવામાં આવે છે કે નહી તેની સમીક્ષા કરી હતી. તેમણે નાગરિકોને આવશ્યક વસ્તુઓની ખરીદી વખતે માસ્ક પહેરવા માટે અને સામાજિક અંતર રાખવા જણાવ્યું હતું. નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા ટકોર કરી હતી..

        આ મુલાકાત સમયે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડયા, સહાયક માહિતી નિયામકશ્રી રાજ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ

તા.૧૩ એપ્રિલના રોજ ૪૭૬ વાહનો જપ્ત કરવામાં આવ્યા

નવસારી/મંગળવારઃ- કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

            તા. ૧૩ એપ્રિલના રોજ પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી કલમ ૧૮૮ IPC કલમ ૧૩૫ ગુજરાત પોલીસ એકટ ૧૯૫૧ હેઠળ ૩૦૦ સામે એફ.આઇ.આર. કરવામાં આવી છે તેમજ ૩૧૯ની અટક કરવામાં આવી છે. તેમજ  ધ એપીડેમીક ડીસીઝ એકટ ૨૦૦૫ હેઠળ ૨ ઇસમો સામે એફઆઇઆર કરવામાં આવી છે. અને ત્રણ વ્યકિતની અટક કરવામાં આવી છે.  ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ હેઠળ ૧ એફઆઇઆર કરી ૧ વ્યકિતની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ૪૭૬ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા અને રૂપિયા ૨૦,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તા. ૧૩ એપ્રિલ સુધીમાં કુલ ૩૧૭૫ એફઆઇઆર કરવામાં આવી છે. તેમજ કુલ ૩૫૨૪ વ્યકિતઓની અટક કરવામાં આવી છે.

શહેરીજનોને લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ નવસારી જિલ્લા પોલિસ દ્વારા કરવામાં આવે છે.

  નોવેલ કોરોના વાયરસ (COVID-19) માટે રાજયમાં

 ૧૧૦૦ નંબરની રાઉન્ડ-ધી-ક્લોક શરૂ કરાયેલી હેલ્પલાઇન સેવા

નવસારી/મંગળવારઃ- પ્રવર્તમાન નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની વૈશ્વિક મહામારીનાં કારણે રાજ્યમાં કોરોના વાયરસનાં ચેપગ્રસ્ત દરદીઓ અને તેના કુટુંબીજનો તેમજ તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોઇ તેવા સંજોગોમાં આવા વ્યક્તિઓને શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓનાં નિવારણ માટે  રાજયમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન સેવા જીવીકે ઇએમઆરઆઇ ૧૦૮ કઠવાડા-અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દરદીઓને ૨૪×૭ સતત ૨૪ કલાક માટે એમ.બી.બી.એસ, એમ.ડી.ફિઝિશિયન, ક્લીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇંક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડીસીન, ટેલી કાઉન્સેલિંગ ( પરામર્શ ) અને ટેલી એડવાઇઝ (સલાહ) આપવામાં આવે છે. તેમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.

                                                  

નવસારી જિલ્લામાં કોરોનાના ૩૦૫ નમુનાઓ લેવામાં આવ્યા

        નવસારી/મંગળવારઃ- કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે આજ દિન સુધી નવસારી જિલ્લામાં ૩૦૫ શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે જેમાંથી ૨૬૭ નમુના નેગેટીવ આવ્યા છે.બાકીના રિપોર્ટ આવવાના બાકી છે. જિલ્લામાં નવસારી તાલુકામાં ૫૭ સેમ્પલ, જલાલપોર તાલુકામાંથી ૬૭ સેમ્પલ, ગણદેવી તાલુકામાંથી ૬૩ સેમ્પલ, ચીખલી તાલુકામાંથી ૪૫ સેમ્પલ, ખેરગામ તાલુકામાંથી ૧૫ સેમ્પલ, વાંસદા તાલુકામાંથી ૫૬ સેમ્પલ તેમજ બીજા જિલ્લા (સુરત)માંથી બે સેમ્પલ લેવામાં આવ્યા છે.  જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ૧૩,૯૭,૬૦૧ ઘરોનો સર્વે કરાયો છે.જિલ્લામાં જાહેરમાં થુંકનાર વ્યકિત પાસે દંડ વસુલ કરવામાં આવે છે. આજદિન સુધીમાં ૧૫૬ કેસ કરીને રૂપિયા ૬૪,૯૦૦ વસુલ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોના કેસો જોતાં લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહ્યુ્ છે જેને ધ્યાને લઇને જિલ્લામાં સઘન સર્વેલન્સની કામગીરી થઇ રહેલ છે.જિલ્લાના લોકો પણ સરકારશ્રીની હેલ્પ લાઇન નંબર ૧૦૪ ઉપર સંપર્ક કરી માર્ગદર્શન અને માહિતી મેળવી રહ્યા છે.

રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન તથા ટેલીમેડીસીન સુવિધા શરૂ કરાઇ છે.આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરેન્ટાઇન કરવામં આવેલ લોકોને ૨૪*૦૭   કલાક માટે એમ.બી.બી.એસ.એમ.ડી.ફિઝિશીયન,ક્લીનીક સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાત તબીબો દ્વારા ટેલી મેડીસીન  અને ટેલી કાઉન્સલીંગ સહિત ટેલી એડવાઇઝ મળી રહે છે. કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ ટેલી મેડીસીન સુવિધા ઉભી કરાઇ છે. સવારે ૦૯ કલાકથી ૧૦ કલાકની વચ્ચે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ ઉપર સંપર્ક સાધી શકાશે

                                      

જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયેલ નથી.

જિલ્લામાં કુલ ૨૬૭ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ

નવસારી/મંગળવારઃ-સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે જિલ્લા કલેકટર શ્રી આર્દ્રા અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશસ્તિ પારીકના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

કોરોના (COVID 19) અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું તેમજ જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ/કોરોનાના ૨૬૭ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. ૩૮ રિપોર્ટ બાકી હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.ભાવસારની યાદીમાં જણાવાયું છે.

                લોકડાઉનના સમયમાં પરપ્રાંતીય લોકો માટે આશ્રયસ્થાન બન્યું

 ઇંટાળવા ખાતેનું કુમાર છાત્રાલય

રહેવા અને ભોજનની વ્યવસ્થા સાથે આશ્રિતોના આનંદ-પ્રમોદ માટેની વ્યવસ્થા

        (સંકલન- રાજકુમાર જેઠવા,સહાયક માહિતી નિયામક,નવસારી)

        લોકડાઉનના સમયમાં જો તમે તમામ સુવિધાઓ સાથે પોતાના જ ઘરે બેસીને કંટાળ્યા હોવ તો વિચારો જે પોતાના ઘર સુધી જ પહોંચી શક્યા નથી તેઓની મનોદશા કેવી હશે...?નવસારીના જિલ્લા વહિવટી તંત્રએ ઘરથી દૂર છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં પરપ્રાંતીય શ્રમિક પરિવારો પ્રત્યે સંવેદના દાખવી તેમને આશ્રય અને ભોજનની સાથે સાથે મનોરંજનની સુવિધા પૂરી પાડી છે.

        નવસારીની પાસે આવેલ ઈંટાળવા ખાતે આવેલા કુમાર છાત્રાલય ૧૨૧ પરપ્રાંતિય લોકો માટે વસમા વખતનો વિસામો બન્યું છે. લોકડાઉન અમલમાં આવતાં દાહોદ,ગોધરા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના  લોકોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કુમાર છાત્રાલય ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહિં ૮૯ પુરૂષ અને ૩૨ મહિલાઓને આશ્રય આપવામાં આવ્યો છે. તેઓને સવારે ૯ કલાકે ચા,નાસ્તો,બપોરે અને સાંજે ભોજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

        ભોજન અને આશ્રયની સાથે સાથે સમય પસાર કરવા શૅલ્ટર હોમ ખાતે આશ્રિતોના આનંદ પ્રમોદ માટે જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  મનોરંજન માટે ટેલીવિઝન સૅટ, કેરમ બોર્ડ જેવા સાધનો પૂરા પાડવામાં આવ્યા છે. વધારાના સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વૃક્ષજતન જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે.

        શૅલ્ટર હોમ ખાતે રહેલા લોકો કહે છે કે, લોકડાઉનના સમયમાં મજૂરી ન મળવાના કારણે આવક નહોતી અને બે ટંકના ભોજનની ચિંતા હતી. અમને અહીં શૅલ્ટર હૉમમાં રહેવાની સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી હાલ પુરતા અમે જીવનનિર્વાહ માટે નિશ્ચિંત છીએ. તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે તેથી હું વહિવટી તંત્રનો આભાર માનું છું.

જિલ્લા કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કુમાર છાત્રાલય ઈંટાળવા ખાતે ૧૨૧ આશ્રિતો, વાંસદા ખાતે આવેલ કુંકણા સમાજની વાડી ખાતે ૧૪ આશ્રિતો તથા રાજીવ ગાંધી ભવન વાંસદા ખાતે ૧૭ આશ્રિતો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ બાળકો માટે દુધની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Monday, April 13, 2020

સુરત જિલ્લામાં મેડીકલ ઈમરજન્સીના કારણે મુસાફરી કરવા માટેની પરવાનગી અંગેની અરજી ઓનલાઈન કરવીઃ જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ

સુરત જિલ્લામાં મેડીકલ ઈમરજન્સીના કારણે મુસાફરી કરવા માટેની

પરવાનગી અંગેની અરજી ઓનલાઈન કરવીઃ જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ

કલેકટર કચેરીમાં રૂબરૂ આવવું નહીઃ

સૂરતઃ સોમવારઃ- હાલમાં કોરોના કોવિડ-૧૯ના કેન્દ્ર સરકારના લોકડાઉન આદેશના કારણે સુરત જિલ્લામાં લોકોની બિન જરૂરી અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવા સંજોગોમાં ખાસ આવશ્યક કારણો જેવા કેમેડીકલ ઈમરજન્સીને કારણે સુરત જિલ્લામાંથી મુસાફરી કરવા માટે પરવાનગી લેવા માટેની અરજ Collector-sur@gujarat.gov.in અથવા 54.magsurat@gmail.com પર કરવી. અરજી જરૂરી પુરાવા સાથે સ્પષ્ટ વિગતો (નામવાહન નંબરસ્થળ) સાથે ઈ-મેઈલ પર અરજી કરવાની રહેશે. અરજી પર નિર્ણય લઈ મંજુર કે નામજુંરની વિગતો ઈ-મેઈલ પર મોકલી આપવામાં આવશે. મંજુરીના કિસ્સામાં પરવાનગી PDF  ફોર્મેટમાં ઈ-મેલથી મોકલી આપવામાં આવશે. જે ઈ-પરવાનગી તરીકે માન્ય ગણાશે જેથી ફિઝીકલ કોપીનો આગ્રહ રાખવો નહી. અરજી કરવા માટે કલેકટર કચેરીએ કોઈએ રૂબરૂ આવવું નહી. જો કોઈ રૂબરૂ આવશે તો જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. ઈ-મેઈલ સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી જેની નોંધ લેવા સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ દ્વારા જણાવાયું છે.    

 


Wednesday, April 1, 2020

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ ના એક પણ કેશ નથી.. આર્થિક હાલત લથડી.. તંત્ર અસહાય

નવસારી જિલ્લામાં આજે 14લાખની વસ્તી માં કોરોના જેવા ખતરનાક મહામારીનો નો એક પણ કેસ નથી. એ ખરેખર એક સારા અને શુભ સમાચાર છે. પરંતુ નવસારી જિલ્લામાં મોટા ભાગે આજે વર્ષો થી કોઈ ખાસ ઉદ્યોગ ધંધો ન હોવાથી અને શાસન પ્રશાસન ની બેદરકારી થી આર્થિક હાલત તદ્દન નબળી છે. મોટા ભાગે મજુરી એ પણ હંગામી હોય જેથી આજે શહેરી વિસ્તારો હોય કે ગ્રામ્ય . મજુરો હોય કે મિડલ કલાસ દરેક ની આર્થિક હાલત ખરાબ છે. નવસારી જિલ્લામાં શાસન પ્રશાસન ની બેદરકારી થી આજે મોટા ભાગના મજુરો મજબૂરી થી પલાયન કરી ગયા. સરકારનો અસહાય નિષ્ફળતા મજબૂરી હવે દરેકને સ્પષ્ટ નજરે પડી રહી છે. નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ આજે પોતાને મિસ્ટર ઇન્ડિયા સમજે છે. એક સામાન્ય માહિતી માટે આરોગ્ય અધિકારીઓ આપવા માટે આનાકાની કરે છે. અને નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી ની હકીકત તપાસ કરતા મોટા ભાગે તદ્દન વાહિયાત અને ખોટી છે. કોરોના ખરેખર નથી એમાં આરોગ્ય વિભાગ ની કોઈ મહેરબાની કે તપાસ નથી. આરોગ્ય વિભાગ ની કામગીરી કરતા કોરોના ની મહેરબાની છે કે નવસારી જિલ્લામાં નથી. 
નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ માં આજે વર્ષો થી ભ્રષ્ટાચાર નો રાજ ચાલે છે. આરટીઆઈ દ્વારા વર્ષો થી અધિકારીઓ ના ભ્રષ્ટાચાર નો ખુલાસો થઈ રહ્યો છે. સરકારની તમામ ગરીબ લક્ષી કે બેરોજગારી માટે ની યોજનાઓ માં નવસારી જિલ્લામાં મોટા ભાગે ભ્રષ્ટાચાર નો રાજ છે. જે આજે ઉજાગર થઈ રહ્યો છે. સરકારનો અન્નબ્રમ્હ યોજના આજે વર્ષો થી ચાલે છે.પરંતુ સેટિંગ ડોટકોમ અને બાપુ દર્શન કે આરક્ષણ અને દસ બાર પાસ મામલતદારો ને ખબરજ નથી. ગરીબો મજુરો અસહાય અપંગ અનાથ બેસહારા નાગરિકો માટેની સરકારની યોજનાઓ ને અહીં કોઈ પણ ડિટરજેન્ટ સાબુ વગર અધિકારીઓ ધોઈ ને પી ગયા છે. જેથી આજે જ્યારે સરકાર એવાની માહિતી સાથે અનાજ આપવાની જાહેરાત કરી છે ત્યારે પુરવઠા મામલતદારો ગરીબ શોધવા નિકળી પડ્યા છે. અને નવસારી જિલ્લા જે એક અધિકારીઓ માટે તાલીમ કેન્દ્ર છે એવા અધિકારીઓ ને કોઈ ગરીબ નથી મળતો. ગરીબોના જ અનાજ ભ્રષ્ટાચાર કરી આપતા પરવાનેદારો ને ખબર નથી.