Naturopathy Treatment

Naturopathy Treatment
Ayurvedic Treatments

Wednesday, April 1, 2020

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ ના એક પણ કેશ નથી.. આર્થિક હાલત લથડી.. તંત્ર અસહાય

નવસારી જિલ્લામાં આજે 14લાખની વસ્તી માં કોરોના જેવા ખતરનાક મહામારીનો નો એક પણ કેસ નથી. એ ખરેખર એક સારા અને શુભ સમાચાર છે. પરંતુ નવસારી જિલ્લામાં મોટા ભાગે આજે વર્ષો થી કોઈ ખાસ ઉદ્યોગ ધંધો ન હોવાથી અને શાસન પ્રશાસન ની બેદરકારી થી આર્થિક હાલત તદ્દન નબળી છે. મોટા ભાગે મજુરી એ પણ હંગામી હોય જેથી આજે શહેરી વિસ્તારો હોય કે ગ્રામ્ય . મજુરો હોય કે મિડલ કલાસ દરેક ની આર્થિક હાલત ખરાબ છે. નવસારી જિલ્લામાં શાસન પ્રશાસન ની બેદરકારી થી આજે મોટા ભાગના મજુરો મજબૂરી થી પલાયન કરી ગયા. સરકારનો અસહાય નિષ્ફળતા મજબૂરી હવે દરેકને સ્પષ્ટ નજરે પડી રહી છે. નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ આજે પોતાને મિસ્ટર ઇન્ડિયા સમજે છે. એક સામાન્ય માહિતી માટે આરોગ્ય અધિકારીઓ આપવા માટે આનાકાની કરે છે. અને નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી ની હકીકત તપાસ કરતા મોટા ભાગે તદ્દન વાહિયાત અને ખોટી છે. કોરોના ખરેખર નથી એમાં આરોગ્ય વિભાગ ની કોઈ મહેરબાની કે તપાસ નથી. આરોગ્ય વિભાગ ની કામગીરી કરતા કોરોના ની મહેરબાની છે કે નવસારી જિલ્લામાં નથી. 
નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ માં આજે વર્ષો થી ભ્રષ્ટાચાર નો રાજ ચાલે છે. આરટીઆઈ દ્વારા વર્ષો થી અધિકારીઓ ના ભ્રષ્ટાચાર નો ખુલાસો થઈ રહ્યો છે. સરકારની તમામ ગરીબ લક્ષી કે બેરોજગારી માટે ની યોજનાઓ માં નવસારી જિલ્લામાં મોટા ભાગે ભ્રષ્ટાચાર નો રાજ છે. જે આજે ઉજાગર થઈ રહ્યો છે. સરકારનો અન્નબ્રમ્હ યોજના આજે વર્ષો થી ચાલે છે.પરંતુ સેટિંગ ડોટકોમ અને બાપુ દર્શન કે આરક્ષણ અને દસ બાર પાસ મામલતદારો ને ખબરજ નથી. ગરીબો મજુરો અસહાય અપંગ અનાથ બેસહારા નાગરિકો માટેની સરકારની યોજનાઓ ને અહીં કોઈ પણ ડિટરજેન્ટ સાબુ વગર અધિકારીઓ ધોઈ ને પી ગયા છે. જેથી આજે જ્યારે સરકાર એવાની માહિતી સાથે અનાજ આપવાની જાહેરાત કરી છે ત્યારે પુરવઠા મામલતદારો ગરીબ શોધવા નિકળી પડ્યા છે. અને નવસારી જિલ્લા જે એક અધિકારીઓ માટે તાલીમ કેન્દ્ર છે એવા અધિકારીઓ ને કોઈ ગરીબ નથી મળતો. ગરીબોના જ અનાજ ભ્રષ્ટાચાર કરી આપતા પરવાનેદારો ને ખબર નથી.

No comments:

Post a Comment