Naturopathy Treatment

Naturopathy Treatment
Ayurvedic Treatments

Tuesday, April 28, 2020

નવસારી જિલ્લા માં અન્નમ બ્રહ્મ યોજના ની કામગીરી કાબીલેતારીફ કે સરકારને બદનામ કરવા સાજિસ ...?

નવસારી જિલ્લા માં અન્નમ બ્રમ્હ યોજના માટે સરકાર શ્રી દ્વારા ફાડવામાં આવેલ અનાજ માટે પરિપત્ર અને આપવામાં આવેલ અનાજ માં કાયદેસર કૌણ..?
 સરકારને બદનામ કરવા સાજિસ કે ફકત ગરીબોના મજાક ...? જવાબદાર કૌણ...?
                             નામદાર સુપ્રિમ કોર્ટ રીટ પીટીશન નં. ૧૯૬/૨૦૦૧માં તારીખ ૨૯/૧૦/૨૦૦૨ના આદેશ થી ભુખમરા અને કુપોષણને કારણે થતા મૃત્યુ અટકાવવા માટે રાજ્યની ફરજ જણાવી જરૂરી પગલા લેવા આદેશ આપેલ છે. જે અન્વયે અન્ન , નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા તારીખ ૧૫/૦૧/૨૦૦૯ ના પરિપત્ર મુજબ દરેક મામલતદારશ્રીઓને ૧૦ ક્વિંટલ અનાજ પુરૂ પાડી પાત્રતા ધરાવતી વ્યક્તિ /કુટુંબ ને માસિક ૧૦થી ૧૫ કિલોગ્રામ અનાજ વધુમાં વધુ ૬ માસ માટે વિના મુલ્યે વિતરણ કરવા તેમજ અન્ન સલામતી પુરા પાડવાનુ નક્કી થયેલ છે. સુપ્રિમ કોર્ટના આદેશ અન્વયે ઘરવિહોણા લોકો અને અનાથ બાળકો ને સ્ટ્રીટ ચિલ્ડ્રન સેલ્ટરની વ્યવસ્થા તેમજ બીજી અન્ય તમામ સુવિધાઓ પુરી પાડવાની રહે છે.
અન્નમ બ્રમ્હ યોજના લાભ માટે પાત્રતા :-
જે વ્યક્તિ કે કુટુંબ પાસે કોઈ પણ પ્રકારનુ રેશન કાર્ડ નથી.
અત્યંત ગરીબ/અશક્ત /નિરાધાર વ્યક્તિ
હોસ્પીટલ ના બિછાને પડેલ દર્દી કે જેમને અનાજની જરૂરિયાત છે.
સામાન્ય દેખાવ પરથી યોગ્ય લાગે તેવી જરૂરિયાત વ્યક્તિ/ કામદાર
ઘર વિહોણી એકલી વ્યક્તિ અથવા કુટુંબ (બાળકો સહિત)
ઘર વિહોણા અને અનાથ બાળક એટલે કે સ્ટ્રીટ ચીલ્ડ્રન
ઉપરોક્ત પાત્રતા ધરાવતી વ્યક્તિ / કુટુંબ ની પસંદગી મામલતદારશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની સ્વવિવેક બુદ્ધિ ઉપર કરવાની રહેશે..

No comments:

Post a Comment