Naturopathy Treatment

Naturopathy Treatment
Ayurvedic Treatments

Thursday, February 6, 2020

નવસારી જિલ્લામાં વાસદા માં ગરીબ આદિવાસીઓના અનાજ સાથે શિક્ષણ કંપનીની ડકૈતી ! અધિકારીઓની મિલીભગત વગર એક પણ કોભાન્ડ શક્ય ખરો..?

નવસારી જિલ્લામાં વાસદા માં ગરીબઆદિવાસીઓના અનાજ  સાથે શિક્ષણ  કંપનીની ડકૈતી ! અધિકારીઓની  મિલીભગત  વગર એક પણ  
કોભાન્ડ શક્ય ખરો..?


        નવસારી જિલ્લામાં આજે આદિવાસીઓ ગરીબો, અસહાય ,અપંગ ,અનાથ વિધવાઓ, બેસહારા ,દલિતો, વંચિતો, શોષિત નાગરિકોની સંખ્યામાં દિવસે દિવસે ભરખમ વધારો થઈ રહ્યો છે. આજે વાસદા તાલુકામાં અસાધ્ય માં અસાધ્ય બીમારીઓ પણ એજ તાલુકામાં સ્થાઈ નાગરિતા મેળવી છે.કુપોષણ પણ આજે એક રાજાની જેમ રાજ કરી રહ્યો છે.નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ મૌજ મસ્તી અને ગરીબોની મજાક કરી રહ્યો હોય જેથી કુપોષણ ચરમસીમા એ રાજ કરી રહ્યો છે. અને ગુજરાત સરકાર નવસારી જિલ્લામાં સૌથી વધુ ફંડ આદિવાસીઓના વિકાસ સાથે સ્વાસ્થ્ય શિક્ષા સુરક્ષા અને ઉત્થાન માટે ખર્ચ કરી રહી છે. અને ખર્ચના એક એક રૂપિયોનો લાભ મળે એના માટે પણ કરોડો રૂપિયા વર્ષે અધિકારીઓને રાજાશાહી સુવિધા સાથે આપે છે.  પરંતુ જમીની હકીકત માં એક અલગ દૃશ્ય જોવા મળે છે. સમાચારો માં પ્રસિદ્ધ થતો અહેવાલ અને જમીની હકીકત અને વિદ્વાનોના મંતવ્યો ખરેખર એક નવી દિશા માં ગતિમાન જોવા મળે છે.અધિકારીઓની મરજી વગર એક અનાજ કે એક રૂપિયાની હેરાફેરી શક્ય નથી. એ પરમ સત્ય છે. પરંતુ એની તપાસ કૌણ કરશે ?  નવસારી જિલ્લામાં મોટા ભાગે અધિકારીઓ એક કારકૂન માં ભરતી થી આજે મામલતદાર કે આરક્ષણ અથવા સેટિંગ ડોટ કોમ થી આવેલ છે.અને શિક્ષણ સ્વાસ્થ્ય સુરક્ષા માં આજે એજ કંપનીના અધિકારીઓ છે. એક જ કંપની પ્રોડકટ આજે  મદદ કેવી રીતે કરી શકે એ મુહાબરો અહીં સટીક છે. 
                      નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં ભરપેટ ભોજન માટે સરકાર અનાજ આપે છે.નવસારી જિલ્લાના સંબધિત  અધિકારીઓ જેની પાસે  કોઈ પણ કાયદાનુ ખબર નથી. પરંતુ હેરાફેરી અને ડકૈતી માં માસ્ટર માઇન્ડ છે. અને જિલ્લા કચેરી દ્વારા એવા અધિકારીઓ ઉપર કાયદેસર ઓછા માં ઓછુ એસીબી દ્વારા આઇટી અધિકારીઓ દ્વારા તપાસ કરાવી તમામ સંપત્તિ જપ્ત કરી જેલ માં નાખવા બદલે એની પાસે જ તપાસ કયા કાયદા મુજબ કરાવે છે.? એવા અધિકારીઓ માટે યોગી સરકારની જેમ સ્વૈચ્છિક રાજીનામું પણ ગુજરાત સરકાર લઈ શકતી નથી. જેથી આજે ગુજરાત સરકાર પણ શંકાના દાયરામાં લોક ચર્ચા માં ચાલી રહી છે.ગુજરાત સરકારના તકેદારી આયોગ પોતાની તપાસ પોતાની જિલ્લા કક્ષાની કચેરી એસીબી દ્વારા કરાવવા બદલે નામાંકિત આરોપી અધિકારીઓ પાસે કરાવી શું સાબિત કરવા માગે છે.? વાસદા તાલુકામાં પુરવઠા કોભાન્ડ જેમાં કરોડો રૂપિયાની હેરાફેરીના સમાચાર પ્રસિદ્ધ થયો એ કોભાન્ડની તપાસ પણ આરોપી અધિકારીઓ જ કરી ચોખ્ખુ ગંગાજળની જેમ પવિત્ર આપી રાજા હરિશ્ચંદ્રની જેમ ઈમાનદાર છે. અને પરિણામ સ્વરૂપ વાંસાદાના એક પરવાનેદાર  એક આરટીઆઈ એકટીવિસ્ટ પત્રકાર સાથે માનવાધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ ઉપર હુમલો કરી કોભાંડની સાબિતી આપી છે.
                     રોજગારના નામે કરોડો રૂપિયાની ડકૈતી માં તપાસ, પુરવઠા કચેરી માં અધિકારીઓ માલદાર હવે ઉચ્ચ શિક્ષણ માં પણ અભણ ફેકલ્ટીની કંપની મામલતદાર પ્રાન્ત અને કલેકટરનો શિક્ષણ આપશે. હવે સમાચારની ગંભીરતા લઈ કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી એસીબી દ્વારા તપાસ કરાવશે કે એક નવી વિગત માં રોકણી થશે એની પર આજે જાગૃત નાગરિકો અને વિદ્વાનોની નજર અને ચર્ચા માં છે.

No comments:

Post a Comment