નવસારી જિલ્લામાં શિક્ષણનો વિકાસ ફકત ફાઈલો માં જ ...!
શિક્ષણ એ બાળકોના બંધારણીય અધિકાર છે.
બાળ મજુરી એ ફોજદારી ગુનો છે. જવાબદાર અધિકારી કૌણ..?
નવસારી જિલ્લામાં આજે વર્ષો થી શિક્ષણ વિભાગ તદ્દન ઉતરતી કક્ષા અને ભ્રષ્ટાચાર યુક્ત રાજ કરી રહ્યા છે. સરકાર અને શિક્ષણ અધિકારીઓ ગમે એટલા વિકાસ અને સારું શિક્ષણની ફાઈલો ઘડે . પરંતુ જમીની હકીકતમાં શિક્ષણ જેવા વિભાગમાં ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગોમાં નાબૂદ થઈ શકે નહીં. મોટા ભાગના ખાનગી શાળાઓ ઉદ્યોગપતિઓના હોવાથી સરકારી કાયદા મુજબ શિક્ષણના બદલે એક વેપાર થઈ રહ્યો છે. આજે નવસારી જિલ્લાના મોટા ભાગની ખાનગી શાળાઓ માં દરેક પ્રકારના અસામાજિક કામો ના સમાચાર આવી રહ્યા છે. અને વિભાગીય અધિકારીઓ અહીં ગરીબો આદિવાસીઓ દલિતો બેસહારા શોષિતોના દુરૂપયોગ કરતા જોવા મળે છે. નવસારી જિલ્લાની મોટા ભાગના શાળાઓ કોલેજો માં અજુ સુધી ફાયર સેફટી નથી. એક જ દિવસે ગણતરીના કલાકો માં ટ્યુશન કલાસો સીલ કરવામાં આવેલ હતી પરંતુ કોઈ પણ કાર્યવાહી વગર ચંદ દિવશો માં કેવી રીતે ફરીથી શરૂ થઇ એનો જવાબ દાર કોણ છે..? આજે સરકારી તમામ શાળાઓ થી કોલેજ સુધીના શિક્ષકો બગીચામાં ફરવા જતા હોય એવી રીતે એની મર્જી મુજબ શિક્ષણ કામ કરતા જોવા મળે છે. સમયસર હાજરી દર્જ કરવા માટે આજે ૨૧વી સદી માં એક સામાન્ય ડિઝિટલ મશીન નથી. પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણ વિભાગના કચેરી માં આરટીઆઈ હોય કે આરસીપીએસ , લઘુતમ માસિક વેતન ધારો ૧૯૪૮ હોય કે શિક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૦૯ ,ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ હોય કે સેવા વર્તણૂક ૧૯૭૧, ભોજનનો અધિકાર હોય કે સુરક્ષાનો અધિકાર વગેરે તમામ લકવાગ્રસ્ત છે. નવસારી જિલ્લા આયોજન અધિકારી હોય કે જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર નવસારી હોય કે નિયામક ગાધીનગર કોઈ પણ અધિકારી હોય કે નેતા . નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ કાયદા કાનૂન થી શિક્ષણ આપવો ગુનો સમજી રહ્યા છે. અધિકારીઓ પોતાની મરજી મુજબ જ શિક્ષણ માં કામો કરી રહ્યા છે.
નવસારી જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ મેળવતા આદિવાસી, ગરીબ, દલિત, શોષિત,વંચિત, અનાથ,બેસહારા, બાળકોને આજે પણ બેસવા માટે આસનપટા પણ ઉપલબ્ધ નથી. ચોખ્ખુ પાણી ,પોષણયુક્ત આહાર, જરૂરી દવાઓ, પહેરવા માટે યુનિફોર્મ, ભણવા માટે ચોપડા, કોમ્પ્યુટર શિક્ષણ પણ કાયદેસર ઉપલબ્ધ નથી. સરકાર દ્વારા દરેક સુવિધાઓ માટે કરોડો રૂપિયાનો ફંડ આપવામાં આવે છે.પરંતુ જમીની હકીકત માં સુવિધાઓ આપવા બદલે સફાઈ ઝાડુ પોછા કપડાં સાફ કરાવવા માં આવી રહ્યો છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. મુખ્ય શિક્ષકો કારકૂન જેવા કામો કરી રહ્યા છે. ગુરૂનો દરજો ભગવાન થી મોટોના બદલે આજે ફકત બસ્તી ગણતરી કે ચુટણીના કામો માટે જ છે. જેથી આજે શિક્ષણ અને શિક્ષણ વિભાગ તદ્દન ઉતરીતી કક્ષા અને ભ્રષ્ટાચાર યુક્ત છે.
આજે સરકાર મંદી માં પણ દર માસે કરોડો રૂપિયા વેતન સાથે તમામ રાજાશાહી સુવિધાઓ આપી રહી છે. જેનો નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ કાયદેસર દુરૂપયોગ કરી રહ્યો છે.શિક્ષણ સિવાય વિકાસ પણ એક જુમલો છે. અને શિક્ષણ માં આજે વર્ષો થી ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. કાયદા કાનૂનની ઐસીકી તૈસી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારને બદનામ કરવા માં આજે અધિકારીઓ કોઈ કસર રાખતા નથી. હવે સમાચારની ગંભીરતા થી નોધ લઈ સરકાર સંબંધિત અધિકારીઓ અને શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી નેતાઓ અને જાગૃત નાગરિકો ,વાલીઓ પોતાના ફરજ નિભાવી શિક્ષણ વિભાગમાં પણ વિકાસ અને સ્વતંત્ર શિસ્તબદ્ધ શિક્ષણ માં મદદરૂપ થશે ખરા...! એ જોવાનુ બાકી રહ્યુ...
No comments:
Post a Comment