Naturopathy Treatment

Naturopathy Treatment
Ayurvedic Treatments

Friday, December 16, 2022

નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ કચેરી માં RTI લકવાગ્રસ્ત - RTI વિજલપોર ૧૨૬ ઓવર બ્રિજ અદ્ઘર અને રામ ભરોસે

નવસારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા બનાવવામાં આવેલ ૧૨૬ રેલ ઓવર બ્રિજ કામ સ્થગિત.... ખાડો ખોદી એક માસ સુધી સતત કામ કરવા પછી પૂરી દેવામાં આવ્યો ...

નવસારી જિલ્લામાં વિજલપોર શહેરમાં છેલ્લા ૧૫ વર્ષ થી ૧૨૬ નં. ફાટક પાસે રેલ ઓવર બ્રિજ નો કામ માટે સતત નેતાઓ દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવી રહ્યો છે. નગરપાલિકા દ્વારા કામો ન થઈ શકે જેથી સરકાર એ બધા જ કામો માર્ગ અને મકાન સ્ટેટ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ને આપવામાં આવ્યો છે. જેમાં આજ દિન સુધી કરોડો રૂપિયા ખર્ચ થઈ ચુક્યા છે. એન કેન પ્રકારેણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ હસ્તક જમીન સંપાદન કે અધુરી ડિઝાઇન સાથે રેલ ઓવર બ્રિજ નો કામ શરૂ કરવામાં આવેલ છે. સરકાર શ્રી ના પરિપત્ર મુજબ સંપૂર્ણ ડિઝાઇન કે જમીન સંપાદન વિગેરે ના કામો પૂર્ણ થયા પછી જ કામો ની શરૂઆત કરવાની જોગવાઈ છે. પરંતુ આરક્ષણ સેટિંગ ડોટ કોમ નેતાઓની પરિક્રમા થી નિમણૂંક અધિકારીઓ પોતાના લાયકાત મુજબ અધુરી ડિઝાઇન કે જમીન સંપાદન વગર ટેન્ડર કરી વર્ક ઓર્ડર આપી છે. જેનો પરિણામ આજે સરકાર ની તિજોરી ખાલી કરવામાં આવી રહી છે.અને સરકાર બદનામ થઈ રહી છે. સાથે સાથે અધિકારીઓ ની અન આવડતના લીધે કામ કરવાની સમય મર્યાદા બે વખત પૂર્ણ છતા રેલ ઓવર બ્રિજ માં ફક્ત ફરજીવાડા સાબિત થઈ છે. વિજલપોર નગરપાલિકાના સામે મોટો ખાડો ખોદી એક માસ સુધી સતત કામ કરવા પછી પૂરી દેવામાં આવતા એક જાગૃત નાગરિકે નવસારી જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ માં એક આરટીઆઈ કરી થતો ભ્રષ્ટાચાર ની માહિતી માંગેલ હતી. જેમાં મળેલ માહિતી ખરેખર સરકાર ને કેવી રીતે અધિકારીઓ બદનામ કરી રહ્યા છે એ દુર્ભાગ્ય પુર્ણ અને શરમજનક છે. સદર કચેરી ના જાહેર માહિતી અધિકારી શ્રી ને પહેલા સરકાર શા માટે નિમણૂંક કરેલ છે એ જાણવો અઘરું છે. સદર વિભાગ ના માહિતી અધિકારી જવાબ માં માહિતી આપવા બદલે કાયદેસર સરકાર ઉપર સવાલો ઉભા કરી પોતાના શૈક્ષણિક લાયકાત નો પ્રદર્શન કરી રહ્યા હતા. દરેક કચેરી માં પ્રો એક્ટિવ ડિસ્કલોઝર કાયદેસર અદ્યતન કરી રાખવો ફરજિયાત માં એમને આરટીઆઈ વિશે ખબર નથી. એવા જવાબો સાથે અરજદાર ને કોઈ લેવાદેવા નથી. .રેલ ઓવર બ્રિજ માં જમીન સંપાદન વિશે માહિતી ના જવાબ માં એમને જમીન સંપાદન કોણે કરશે એ પણ ખબર નથી. એક રેલ ઓવર બ્રિજ નો માહિતી વિશે આપેલ જવાબ ગુજરાત રાજ્ય સરકાર નો પારદર્શક સર્વાંગી વિકાસ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. એવા અધિકારીઓ સાથે સરકારનો વિકાસ સમૃદ્ધિ પારદર્શક સરકારનો નિર્ણય કે કામગીરી એક જુમલા સાબિત થાય એમાં કશું ખોટું નથી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ નવસારી સાથે નવસારી વિજલપોર નગરપાલિકા છે. જે પહેલા થી જ ભ્રષ્ટાચાર માટે પહેલા ક્રમાંકે આવવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે. કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર સાબિત થતા કાર્યવાહી કરવા માટે ફક્ત પત્રાચાર કરતી નગરપાલિકા એમાં કાયદેસર સહભાગી ભ્રષ્ટાચાર વગર થશે એ દિવસ માં ચાંદ જોવા જેવા છે. જે નગરપાલિકા ચોખ્ખુ પાણી પણ ન આપી શકતી હોય એ રેલ ઓવર બ્રિજ માં જમીન સંપાદન કરશે . જે નગરપાલિકા પોતાના કર્મચારીઓને લઘુત્તમ માસિક વેતન કે સરકાર દ્વારા સાતમા પગાર ધોરણ મંજૂર છતા છ વર્ષ થી ન આપી શકતી હોય એ કરોડો રૂપિયા ના કામો કરશે એ પણ પારદર્શક તરીકે. સરકાર નગરપાલિકામાં કરોડો રૂપિયા કોભાંડ થી વાકેફ છે. જેથી આજે તમામ નગરપાલિકાઓ ને મોટા કામો થી મહેફૂજ રાખે છે. નગરપાલિકા માં ભ્રષ્ટાચાર વગર એલ ઈ ડી  લાઈટ કે બ્લોગ પેવિગ ના કામો થતા નથી. અને એવા સરાહનીય કામગીરી માં નવસારી વિજલપોર નગરપાલિકા સૌથી આગળ છે. નવસારી વિજલપોર નગરપાલિકા ગુજરાત રાજ્ય ની પહેલી નગરપાલિકા છે જે પોતાના કચેરી માં થતો ભ્રષ્ટાચાર ની તપાસ પણ પોતે જ કરે છે. એમ પણ નવસારી વિજલપોર નગરપાલિકામાં ગુજરાત કે કેન્દ્ર સરકાર નો કોઈ કાયદાઓ લાગુ પડતો નથી ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત વજટ થી રેલ ઓવર બ્રિજ આજે પણ રામ ભરોસે ચાલી રહ્યું છે અને આમ નાગરિકો મોટી મોટી લાઈનો માં કલાકો સુધી ઉભા રહેવા મજબૂર છે. 

No comments:

Post a Comment