નવસારી જિલ્લામાં કોરોના સામે આજે એકતાની એક નવી મિશાલ ...
નવસારી જિલ્લામાં આજે નવસારી અને વિજલપોર શહેરમાં કોરોના ને કોઈ પણ સંજોગોમાં પરાસ્ત કરવા નાબૂદ કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના અપીલના સમર્થન માં વધાજ નાગરિકો દુકાનો બંધ રાખી બહાર નીકળવા ટાળી છે. સરકાર શ્રીના આરોગ્ય વિભાગના, સુરક્ષા વિભાગના,નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ કોઈ પણ જરૂરિયાત પૂરી કરવા ફરજ ઉપર હાજર જોવા મળેલ હતા. નવસારી જિલ્લામાં દરેક દૂકાનો મેડિકલ સિવાય બંધ રાખેલ છે. કોઈ પણ સંજોગોમાં હવે કોરોના ભારત દેશ માં દાખલ કે વિકાસ કરવા બદલે નાબૂદ થશે.એમાં કોઈ શક નથી. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા અને લોકરક્ષક પરિવાર દ્વારા નવસારી જિલ્લાના સમસ્ત પ્રશાસનિક અધિકારીઓ કર્મચારીઓ સાથે ભારત દેશના પ્રધાનમંત્રીશ્રીને આ અભિયાનને ભવિષ્ય માં પણ એવી રીતે સમર્થન મળતો રહે એના માટે હાર્દિક શુભેચ્છા પાઠવી છે. અને આપણો દેશ આજે દરેક પ્રકારની ઘાતક બીમારીઓ કે દરેક સમસ્યાનો સામે એક સાથે છે.અને કાયમી ધોરણે રહેશે. જય ભારત જય હિન્દ
No comments:
Post a Comment