નવસારી જિલ્લા માં ભારતમાં સૌથી મોટી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં RTI 2005 અને RCPS 2013 લકવાગ્રસ્ત ..... ?
સવા બે લાખથી વધુ વેતન સાથે રાજાશાહી સુવિધાઓ શા માટે.....! જવાબદાર કૌણ...?
આજે ભારત દેશ વર્ષોથી મોઘવારી,ભ્રષ્ટાચાર,બેરોજગારી થી ત્રાહિમામ છે. ગુજરાત રાજ્ય ના અતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લા માં વર્ષો પહેલા ભારત ના એક મહાન દાની પુરૂષ મફતલાલ શેઠ એ એક સૌથી મોટી જમીન ખેડુતોના સહાય અર્થે કૃષિ વિશ્વવિદ્યાલય તરીકે ભારત સરકારને દાન સ્વરૂપે આપી હતી. જે આજે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નામે કાર્યરત છે.નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્લી તરફથી ૧૦૦% ગ્રાંટથી ચાલતી સંસ્થા ટ્રાંસફર ઓફ ટેક્નોલજી માટેની શિક્ષણ સંસ્થા છે. ભારત સરકાર એક કૃષિ પ્રધાન દેશ છે.ભારત સરકાર દર વર્ષે સદર સંસ્થામાં કરોડો રૂપિયા ગ્રાંટ આપે છે. ખેડુતો માટે સહાય સ્વરૂપે ચાલતી૧૦૦% ગ્રાંટ ધરાવતી સંસ્થા દ્વારા થતા કામો માં ખેડુતો,મજુરો,સાથે સ્વરોજગાર માટે સહાય કરતી સંસ્થા માં ખરેખર કાબીલે તારીફ કામોની જાણ માટે એક માહિતી માગવામાં આવી.જેમા સદરસંસ્થા માં લાખોરૂપિયા વેતનસાથે રાજાશાહી જેવી સુવિધા લેનાર અધિકારીઓ પાસે જનહિત માટે એક સામાન્ય નોલેજ ન હોય એ ન કહી શકાય.પરંતુ નિરીક્ષણ માટે કચેરી સમયે અરજદારને બોલાવી એક જવાબદાર અધિકારી તરીકે હાજર ન રહેવો અને કચેરી ખાતે એક પણ જવાબદાર અધિકારીન મળવો શંકાસ્પદ છે.